Wednesday, April 3, 2024

ભારતના યુવાધનની વિદેશવાટ

 

ભારતના યુવાધનની વિદેશવાટ

 

ભારત એ વિશ્વનો સૌથી યુવાન દેશ છે અને વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ પણ ખરો. સૌથી યુવાન દેશ હોવાનો અર્થ અહીં યુવા વયની વસ્તી સૌથી વધુ અત્યારે ભારતમાં છે અને જે દેશ પાસે યુવાધન સૌથી વધુ એ દેશ સૌથી વધુ શક્તિશાળી. આમ પણ વિશ્વ ફલક પર ભારતનું નામ અંકિત થયું છે અને એ વાતનો આપણે ભારતીય તરીકે ગર્વ લેવો જોઈએ અને લઈએ પણ છીએ.

 

અને હા, વિશ્વના સૌથી શક્તિશાળી અને નોંધપાત્ર ક્ષેત્રોના ઉચ્ચ સ્થાને પણ કોઈ ભારતીય જ બિરાજમાન છે, જેમ કે સુંદર પીચાઈ,  ઋષિ સુનક કે તુલસી ગ્રેબર્ડ.  મોદી હોય કે મુકેશ અંબાણી - એ ગૌરવવંતા ગુજરાતી ભારતીયો પહેલા છે.  કપિલદેવ હોય કે અમિતાભ બચ્ચન - દુનિયા એમને નામથી ઓળખે છે એમના કામ અને ભારતીય હોવાના કારણે.

 

તો પ્રશ્ન એ થાય કે ભારતમાં બધું જ છે તો ભારતીય યુવાદ્યનની વિદેશ જવાની ઘેલછા કેમ વધતી જાય છે. એક અંદાજે દર વર્ષે 5 થી  6 લાખ વિદ્યાર્થીઓ વિદેશ ભણવા માટે જાય છે અને મોટાભાગે ભણ્યા પછી ત્યાં જ સ્થાયી થતા હોય છે - સ્વદેશ પાછા આવી સ્થાયી થતા નથી (અમુક અપવાદ ને બાદ કરતા).  તો આપણને એ પ્રશ્ન ચોક્કસથી થાય કે જો આમ જ ભારતનું યુવાધન બહાર જતું રહેશે તો એક દિવસ આપણે પણ એ ચિંતા કરવી પડશે જે અત્યારે અન્ય દેશો કરી રહ્યા છે જેની પાસે યુવાધન ઓછું છે.

 

આ યુવાધનને વિદેશ જવા માટે જે પરિબળો જવાબદાર છે એ પરિબળો પર શું આપણે કોઈ પગલાં ના લઇ શકીએ ? દેશ તરીકે એ વિચારવાની શું આપણી નૈતિક ફરજ નથી ?  આજે જો આ બાબતે નહીં વિચારીયે તો એક-બે દાયકા પછી કદાચ બહુ મોડું થઇ ગયું હશે. કેમકે અત્યારે વિદેશ જવાનો જે ક્રેઝ દેખાઈ રહ્યો છે, એ જોતા તો એવું લાગે છે કે દરેક દેશમાં જઈને ભારતીય કોલોની ઉભી થઇ જશે, પણ એ ભારતમાં નહીં હોય.

 

ચાલો આપણે એવા પરિબળોની યાદી બનાવીયે, જે આપણા યુવાધનને વિદેશ જવા પ્રેરે છે.

 

- ઉચ્ચતમ શિક્ષણ

- સારી કમાણી

- સામાજિક સુરક્ષા (રિટાયરમેન્ટ પછી)

- સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર

- લોકશાહી (એવી કે જેમાં સદંતર લાંચ-રુશવતથી જ કામ થાય એવું ના હોય)

- ટેક્ષ ભર્યા પછીની ખાતરી કે સરકાર સારી સુવિધાઓ આપશે જ (અને મળે પણ છે)

- સરકારી કામ માટે ખરેખર ધક્કા ખાવા પડતા નથી.

 

 

અને એવું ઘણુંબધું જે અહીં યાદીમાં ઉમેરી શકાય. તો  આ યાદીના દરેક મુદ્દાને ભારતીય સિસ્ટમના પરિપેક્ષમાં મૂકીને વિચારીયે અને પછી જો આપણી પાસે એના સોલ્યુશન્સ હોય તો શું આપણે એ દિશામાં પગલાં લઇ શકીયે ?

#StudyAbroad

#BeingIndian 


Thursday, March 21, 2024

 #વિશ્વ કવિતા દિવસ


વાત આજે નીકળી જ છે, તો વિવાદ સુધી જવા દો
શબ્દો થકી જો લાગણીઓ વહે, તો આજે વહેવા દો

આમ તો મૌનની પણ પોતાની એક ભાષા હોય છે,
એ જ કોઈ સમજી જાય, એની મનને અભિલાષા હોય છે.

શબ્દથી થતી રજુઆત, ક્યારેક અધૂરી રહી જાય છે.
પણ મૌનની પરિભાષા તો અંતરમાં ઉતરી જાય છે.

આજકાલ, વ્હોટ્સએપ-ફેસબુકથી પણ ઘણું કહી શકાય છે,
પણ માત્ર આંખોથી કહેલી વાત, હંમેશા યાદ રહી જાય છે.

Monday, January 8, 2024

Traffic sense

 તમે અને હું, આપણે સૌ રોજે રોજ એક યુદ્ધ લડીએ છીએ, ખબર છે એ શેનું ????  રસ્તા પરના ટ્રાફિકનું.....

સાચું કે નઈ?  ઘરેથી ઓફિસ કે ક્યાંક બહાર જવા નીકળીએ એટલે, રસ્તા પર ટ્રાફિક કઈ દિશામાંથી આવશે એ નક્કી હોવા છતાં પણ ટ્રાફિક કોઈપણ દિશામાંથી આવવા લાગે છે. આવું કદાચ આપણે બધાએ ક્યારેક તો અનુભવ્યું જ હશે.


હા, હું આપણા અમદાવાદના રસ્તા પરના ટ્રાફિકની જ વાત કરી રહી છું.  આપણે, અમદાવાદીઓ શું ધીરજ ખોઈ બેઠા છીએ કે ક્યાંક પહોંચવાની ઉતાવળમાં રોજેરોજ ટ્રાફીકનો એકાદ નિયમ તો તોડતા જ હોઈશું.  ઉદાહરણ રૂપે, 


ટ્રાફિક લાઇનને અનુસરવાને બદલે કોઈપણ લેનમાં ગમે ત્યારે ઘુસી જવાનું.

રોડ પર એકે એક ઇંચ ખાલી જગ્યામાં ઉભા રહી જવાનું.

કારની લેનમાં પણ ટુ વહીલર વચ્ચે ઘુસાડીને ઉભા રહી જવાનું 

પહેલા પહોંચવાની હોડમાં મારી આગળ કોઈ કેમ નીકળી જાય ? સતત આવું જ જોવા મળે છે રોડ પર.

પાનના ગલ્લે ઉભા રહીને વાતો કરવામાં મોડું ના થાય, પણ ભરચક ટ્રાફિકમાં પણ સતત હોર્ન વગાડીને આગળ નીકળવા માટેનું બહાનું  "મારે મોડું થાય છે"

લેફ્ટ ટર્ન ઓપન રાખવાનો હોય, ત્યાં ગ્રીન લાઈટ ચાલુ હોય તો પણ, એ ટર્ન બ્લોક કરીને ઉભા રહી જવાનું.

સિગ્નલ કોઈપણ દિશાનું ચાલુ હોય, પરંતુ 'ટ્રાફિક પોલીસ' ની નજરથી બચીને કોઈપણ રસ્તો ક્રોસ કરી લેવાનો...

રોન્ગ સાઈડમાંથી ઓવરટેક કરવાનો અને જો અથડાઈ ગયા તો પણ "જોતા નથી"?  એવું તો કહેવાનું જ.


શું આપણે આવું કરીને "હેરિટેજ સીટી અમદાવાદ" ને શરમાવી નથી રહ્યા?  વિશ્વ  ફલક પર "અમદાવાદ" એક ફાસ્ટેસ્ટ ડેવલપિંગ શહેર છે અને તેની સામે આપણે જ આપણા શહેરને નીચા જોણું કરી રહ્યાં છીએ. કેટલા બધા દેશો અને રાજ્યોના મુલાકાતીઓ શહેરમાં આવતા હોય છે...મોટાભાગના લોકોનું રિએક્શન "અરે યાર મસ્ત છે અમદાવાદ તો, પણ શહેરના ટ્રાફિકમાં વાહન ચલાવવું એટલે એક જન્ગ જીતવા બરાબર છે." 


સરકાર કાયદા બનાવે અને લોકો પાસે એનું નિયમન કરાવડાવે, પણ લોકો જો પોતાની ફરજ સમજીને એનું બરાબર પાલન નહીં કરે તો એકલી સરકાર પણ કઈ નહીં કરી શકે. શું આ નિયમોનું પાલન કરવાની જવાબદારી આપણી નથી ?  આપણે જ જો આવું જોખમકારક વાતાવરણ રોડ રસ્તા પર બનાવીશું તો શું,  આપણા  સંતાનો પણ ક્યારેક એ જ જોખમનો ભોગ નહીં બને ?  રોજ સવારે સમાચારની શરૂઆત એકાદ માર્ગ અકસ્માતના વિષયથી જોડાયેલી હોય છે. તો ક્યારે જાગીશું આપણે?  

ભારતના યુવાધનની વિદેશવાટ

  ભારતના યુવાધનની વિદેશવાટ   ભારત એ વિશ્વનો સૌથી યુવાન દેશ છે અને વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ પણ ખરો. સૌથી યુવાન દેશ હોવાનો અર્થ અ...